નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

Wednesday, 24 October 2012

11 નવેમ્બર શિક્ષણ દિવસે આકાશ-2 લોન્ચ થશે

Oct 23, 2012


નવી દિલ્હી,23 ઓકટોબર

11 નવેમ્બર શિક્ષણ દિવસે કેન્દ્ર સરકારે આકાશ-2 ટેબલેટ લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે

. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જિ ટેબલેટને જનતા સમક્ષ પ્રદર્શિત કરશે. બધા જ કેન્દ્રીય મંત્રીઓ 
તરફથી મળેલી સારી પ્રતિક્રિયાના કારણે માનવ સંસાધન મંત્રાલય ઉત્સાહિત છે અને આ
 ટેબલેટની લોન્ચની તૈયારીમાં લાગી ગયુ છે.


આકાશ-2ને વિદ્યાર્થીઓ સમક્ષ લાવતા પહેલા કેટલાક મહત્વના લોકો જોડેથી આ ટેબની

 ફિડબેક લેવાની યોજના બનાવી હતી, જેના કારણે કેન્દ્રના મંત્રીઓ અને બધા જ રાજયના
 મુખ્યપ્રધાનોને બે-બે ટેબલેટ મોકલવામાં આવ્યા હતા. મંત્રાલયના એક સિનિયર અધિકારી
ના જણાવ્યાં અનુસાર કેન્દ્રના બધા જ મંત્રીઓની ફિડબેક આવી ગઈ છે. પરંતુ હજુ સુધી
 મુખ્યમંત્રીઓની ફિડબેક આવવાની બાકી છે. સરકાર આ ટેબલેટ કોલેજ અને યુનિવર્સિટીના
 વિદ્યાર્થીઓને આપશે. source : sandesh

No comments:

Post a Comment